દુનિયાના નકશાની અંદર પોતાની લીલી દુનિયાનું સર્જન કરનાર મોહમ્મદઅલી ઝીણા
ગુજરાતી હતા,ખોજા હતા,પાકિસ્તાનના રાષ્ટ્રપિતા છે અને ભારતના વિલન છે.૨૫
ડીસેમ્બર ૧૮૭૬મા મોહમ્મદઅલી ઝીણાનો જન્મ ય્હયો હતો.ઝીણાના પિતા ઝીણા પુંજા
ચામડાના વેપારી હતા.જિન્નાહ અફલાતૂન અંગ્રેજી બોલતા હતા પણ ઉર્દુ આવડતું ન
હતું.તેમને શેરવાની-પાયજામો પહેર્યો નથી.તે હમેશા લેટેસ્ટ ફેશનની શૂટ જ
પહેરતા.તેને નમાઝ પડતા આવડતી ન હતી.તે સારામાં સારો ઇંગલીશ દારૂ ઢીંચતા.અને
પોર્ક તથા હેમ જેવું સૂવારનું માંસ ખાતા.આ ઉપરાંત ઝીણા એક અવ્વલ દર્જાના
બેરિસ્ટર હતા.તેમને મુંબઈમાં આવીને પોતાનું નામ ઝીણામાંથી જિન્નાહ
કર્યું.જિન્નાહ ૧૯૦૬મા દાદાભાઈ નાવારોજીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે
કોંગ્રેસમાં જોડાયા.પણ રાજકારણમાં જિન્નાહ બહુ ખુશ કિસ્મત
નીકળ્યા.જિન્નાહના આગમન પછી બધા જ અવામી-મુસ્લિમ લીગના નેતાઓ અજમલ ખાન,સર
ફઝ્વી હુસેન,સર મોહમ્મદ અન્સારી,મોઉંલાના મોહમ્મદ અલી વિદાય લેતા ગયા અને
જિન્નાહને ખૂલ્લું મેદાન મળી ગયું.જેનો જિન્નાહે ભરપુર ઉપયોગ
કર્યો.જિન્નાહની વાણી.વર્તન અને વિચારોમાં ક્યારેય એકસૂત્રતા કે તર્ક ન
હતું છતાં પણ કેમ સફળ થઇ ગયા.કેમ કે તેની જિંદગીનું એક જ ધ્યેય હતું કે ગમે
તેમ કરીને સર્વોચ્ચ સ્થાન મેળવવું.અને મેળવ્યું પણ ખરું ! ૧૯૨૦મા જિન્નાહે
હિન્દુસ્તાનની રાજનીતિમાં પ્રવેશ કર્યો અને રોલેટ એક્ટના વિરોધરૂપે
જિન્નાહે ઈમ્પીરીયલ લેજીસ્લેટીવ કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું
હતું.ગાંધીજીએ હોમરુલ લીગનું નામ બદલીને 'સ્વરાજ સભા' આપ્યું ત્યારે
રાષ્ટ્રીય રાજનીતિમાં હિંદુ અસરના પ્રવેશ સામે જિન્નાહે કોંગ્રેસનો ત્યાગ
કર્યો અને અલાગતાવાદની શરૂઆત કરી.જિન્નાહ ૧૯૩૧ સુધી રાજકારણમાં હતા પણ તેને
ક્યાય સફળતા હાથ લાગી હોય એવું જણાતું નથી.૧૯૩૧ની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
પછી જિન્નાહ એટલા બધા નિરાશ થઇ ગયા હતા કે એ ઈંગ્લેન્ડમાં જ સ્થાયી થઇ
ચૂક્યા.પરંતુ જિન્નાહના સદનશીબે જુલાઈ ૧૯૩૩મા લિયાકતઅલી(સ્વતંત્ર
પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી)જિન્નાહને મળવા ગયા ને તેમને જિન્નાહને
હિન્દુસ્તાન પાછા ફરવા વિનવ્યા.આમ જિન્નાહ ૧૯૩૫મા ૬૦મા વર્ષે હિન્દુસ્તાન
પાછા ફર્યા અને એમની જિંદગીનો આખરી સફળતા તરફનો દોર શરુ થયો.ગાંધીજીએ ૬૦મા
વર્ષે દાંડીકૂચ શરુ કરી અને જિન્નાહે હિન્દુસ્તાન પાછા ફરીને ૬૦મા વર્ષે
પાકિસ્તાનની મશાલ ભડકાવી હતી.જિન્નાહને હમેશા નકારાત્મક ભૂમિકા ભજવવાની આદત
પડી ગઈ હતી અને આ નકારાત્મક ભૂમિકા તેણે ૧૯૩૫થી એક્સૂત્રી જિદ્દથી ભજવવાની
શરૂઆત કરી.૧૯૩૭ના લખનૌના મુસ્લિમ લીગના અધિવેશનમાં જિન્નાહે કહ્યું હતું
કે,"રાજકારણ સત્તા છે અને એ ન્યાય કે ગુડવિલ માટેની ચીસો પર નિર્ભર
નથી".માઉન્ટબેટનની જિન્નાહ સાથે પ્રથમ મીટીંગ થઇ ગયા પછી માઉન્ટબેટને
કેમ્બેલ જ્હોન્સનને કહ્યું : માય ગોડ ! આ માણસ બરફ જેવો છે.આખો ઇન્ટરવ્યું આ
બરફને ઓગાળવામાં ગયો ! પરંતુ જિન્નાહને ઓળખવામાં ભલભલા થાપ ખાઈ ગયા
છે.જિન્નાહ ભલે બરફ જેવા ઠંડાગાર હતા પણ તેમની અંદર જ્વાળામુખી ભરેલો હતો
અને તે ગમે ત્યારે બરફને ઓગળાવીને બહાર નીકળી શકે તેમ હતો.૧૯૪૦મા જ્યારે
લાહોરમાં મુસ્લિમ લીગનું અધિવેશન ભરાયું ત્યારે જિન્નાહ તે અધિવેશનના
અધ્યક્ષ સ્થાને પહોચી ગયા હતા.અને એ અધિવેશનમાં મુસ્લિમો માટે અલગ દેશની
અને અલગ વતનની માંગણી કરવાની હતી.જિન્નાહ તે વખતે અધ્યક્ષ સ્થાનેથી એક
પ્રવચન આપ્યું હતું જેમાં એમ કહ્યું હતું કે,"હિંદુઓ અને મુસલમાનો બંને
ભિન્ન જાતિઓ છે,એમના ધર્મગ્રંથો,એમની યશગાથાઓ અને હીરો જુદા છે.ઘણીવાર
એકનો
હીરો બીજાનો શત્રુ કે વિલન છે અને આ જ રીતે એકનો વિજય બીજાનો પરાજય
છે".જિન્નાહની આ વાતને સમર્થન આપવું પડે.કેમ કે જિન્નાહ પકસ્તાનના હીરો છે
તો ભારત માટે વિલન.ગાંધીજી ભારત માટે હીરો છે તો પાકિસ્તાન માટે વિલન.આ
પ્રવચનમાં જિન્નાહની અલગ પાકિસ્તાનની નીતિ સ્પષ્ટ દેખાતી હતી.જો કે
જિન્નાહને ફક્ત પકસ્તાનમાં જ રસ હતો અને મુસ્લિમ લઘુમતીની તેને કોઈ ચિંતા
નહોતી.મહંમદ ચાગલાએ એમના પુસ્તકમાં લખ્યું છે કે,મેં જિન્નાહને પ્રશ્ન
પૂછ્યો કે,"તમે મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશો માટે પાકિસ્તાન માંગી રહ્યા
છો,પણ બીજા પ્રદેશોની મુસ્લિમ લઘુમતીઓનું શું થશે ? ઝીણાએ જવાબ આપ્યો હતો
કે,'એ લોકો એમનું ફોડી લેશે.મને એમના ભવિષ્યમાં રસ નથી".જિન્નાહ રાજકારણમાં
આટલા મહત્વાકાંક્ષી હશે એનો વિચારસુધ્ધા પણ ન આવે.પરંતુ જિન્નાહ
રાજકારણમાં એટલા નશીબદાર નીકળ્યા કે ૧૪મી ઓગસ્ટે તેની પાકિસ્તાનની ખોજ
પૂર્ણ થઇ.મહંમદઅલી ઝીણાને પણ કહેવું પડ્યું કે,"મને કલ્પના ન હતી કે આ
શક્ય બનશે.મારા જીવનકાળ દરમિયાન પાકિસ્તાન જોવાની મેં અપેક્ષા જ રાખી ન
હતી".આમ જિન્નાહ રાજકારણમાં એટલા નશીબદાર હતા કે,જિન્નાહે એક દિવસ માટે પણ
જેલમાં ગયા નથી,(ગાંધીજી,સરદાર પટેલ અને નેહરુએ જેલમાં ઘણી યાતનાઓ
ભોગવી)જિન્નાહે એક દિવસ માટે પણ ભૂખ હડતાલ કરી નથી,(ગાંધીજીએ ઘણી વખત ભૂખ
-હડતાલો કરીને ભૂખું કાઢી)જિન્નાહે એક દિવસ માટે પણ તોફાની સરઘસોની
રહનુંમાઈ કરી નથી.આમ આ પ્રકારનો આધિનિક માણસ ઇંગ્લેન્ડથી પાછો આવે અને
રૂઢીચૂસ્ત મુસ્લિમ અવામનું નેતૃત્વ કરે એ ઘટના જ ઇતિહાસનો એક વિરલ અકસ્માત
છે.
-દીપેન અ. પઢીયાર